લગ્નની જ્યારે પણ વાત આવે છે ત્યારે કેટલીક વ્યક્તિઓ મોટેભાગે બિમાર પડી જાય છે કે ગભરાય જાય છે. છોકરીને આ રીતે જોઇને પેરેન્ટ્સ કે પરિવારને લાગે છે કે લગ્નનની વાત આવી તેનાં કારણે તે આવું વર્તન કરે છે. પરંતું વાસ્તવિક રીતે આ ગામોફોબિયા છે. ગામોફોબિયા એ એક પ્રકારનો એવો ફોબિયા છે, જે લગ્ન સંબધ કે કમિટમેન્ટ સાથે જોડાયેલ છે. જો કોઈ વ્યક્તિ પોતાનાં પાર્ટનર સાથે લગ્ન કરવાં કે ઘર વસાવવાનાં વિચારથી ભય અનુભવે છે કે પોતાનાં લગ્નની યોજનાઓ વિશે પ્રશ્ન પૂછીને પછતાવો અનુભવે છે તો બની શકે તે ગામો ફોબિયાનો શિકાર હોય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પીએચ.ડી.ના વિદ્યાર્થી તૌફિક એચ. જાદવે810 યુવાનો પર સર્વે કર્યો છે. જેમાં 34%ને લગ્ન કરવાના વિચારથી ભય અને 71.70% કમિટમેન્ટ પૂરું ન કરતા સ્વદોષ અનુભવે છે.
સરવેમાંમાં આવા તારણો બહાર આવ્યા
ગામોફોબિયા એટલે શું?
સામાન્ય રીતે ગામોફોબિયાને કમિટમેન્ટ કે પ્રતિબદ્ધતાનાં ભય તરીકે ઓળખવામાં આવે છે. પરંતું આ માત્ર લગ્નનો ભય નથી. આ મનોવૈજ્ઞાનિક અને શારીરિક લક્ષણોનો સામનો કરવા માટે, સંબંધો જાળવી રાખવાની અસમર્થતા કમિટમેન્ટનો ભય છે. આ લક્ષણો ક્યારેક ક્યારેક એટલી ચરમસીમાએ હોય છે કે જેના પરિણામે ગભરાહટ અને ચિંતા ઉત્પન્ન થાય છે. આ ભયમાં લગ્નનથી માંડીને તેનાં પાર્ટનર સાથે ખૂશ રહેવા સુધીનો ભય લાગે છે. તે વિચારીને ડરી જાય છે કે કેવી રીતે બધું હેન્ડલ કરશે અને તેને શારીરિક અને માનસિક રીતે તકલીફ પડે છે.
ગામોફોબિયાના લક્ષણો
ગામોફોબિયાના કારણો
ગામોફોબિયાનો ઉપચાર
ગામોફોબિયા એ એક ગંભીર સમસ્યા છે જે પ્રતિબદ્ધતાના ભયને કારણે કોઈ પ્રકારના સંબંધો કે પારિવારિક જીવનને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે. આથી ડોક્ટર કે સલાહકાર સાથે વાતચીત કરી તત્કાલ ઉપચાર કરાવવો જોઈએ. જો છ મહિના કે લાંબો સમય સુધી રહે તો વ્યક્તિના જીવનને ઘણું નુકસાન પહોંચાડે છે. આથી ઝડપથી ઉપચાર કરવો જરૂરી બને છે.
1. કોગ્નીટીવ બિહેવિયાર થેરાપી
આ થેરાપીમાં ચિકિત્સક પ્રતિબદ્ધતાના ભય વિશેના નકારાત્મક વિચારોને દૂર કરે છે. જે તે રોગીઓ માટે વધારે ફાયદાકારક છે જે આવેગિક કુસમાયોજીત હોય છે. ગામોફોબિયાના દર્દી માટે પણ આ થેરાપી ફાયદાકારક બને છે.
2. સલાહ
સલાહ એ સૌથી મહત્વપૂર્ણ ઉપચારમાંથી એક અસરકારક ઉપચાર છે. સલાહ દ્વારા લોકોને પોતાના અનુભવ, ભય, અને લાગણીઓથી સાજા થવામાં મદદ કરે છે.
3. હિપનોથેરાપી
4.વર્તન થેરાપી
આ થેરાપીમાં સકારાત્મકતા સાથે નકારાત્મક દૃષ્ટિકોણને બદલવામાં મદદ કરે છે. વ્યક્તિના અનિચ્છિત વર્તનની ભાતને બદલવામાં આવે છે.
5. દવા
ડોકટરની સલાહ મુજબ દવાઓ લેવી.
ગામોફોબિયા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.