રાજકોટમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ વધતા રોજ કેસોની સંખ્યા વધી રહી છે. બીજી લહેરમાં લોકો એકઠા ન થાય તે માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. સરકારે જન્મ અને મરણના દાખલા માટે ઓનલાઇન સેવા પણ લોકોને પૂરી પાડી છે. પરંતુ લોકોને ઓનાલાઇન સેવા સમજમાં ન આવતા આજે રાજકોટ મનપા કચેરી ખાતે જન્મ-મરણના દાખલા લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. તેમજ મનપા કચેરીના ગેઇટ સુધી લાંબી લાઇન જોવા મળી હતી. આ રીતે લોકોની લાઇન જોવા મળતા સંક્રમણ વધવાની શક્યતા સેવાઇ રહી છે.
જાહેર જનતાને ઘરેબેઠા જન્મ કે મરણના પ્રમાણપત્રો ઓનલાઇન ડાઉનલોડ કરવાની સુવિધા
જન્મ અને મરણ નોંધણીની પ્રક્રિયા હાલ રાજ્ય સરકારના વેબ પોર્ટલ eOlakhમાં કરવામાં આવે છે. આ નોંધણીની પ્રક્રિયા સંપુર્ણ ઓનલાઇન છે. જેથી દરેક હોસ્પિટલ દ્વારા બનતા જન્મ કે મરણના બનાવોની નોંધ આજ પોર્ટલમાં કરવામાં આવે છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા આજ પોર્ટલમાંથી જાહેર જનતાને ઘરે બેઠા જન્મ કે મરણના પ્રમાણપત્રો ઓનલાઇન ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલ્બ્ધ કરવામાં આવી છે. જે સુવિધા 1 ઓક્ટોબર 2020થી તમામ નોંધણીમાં લાગુ પડશે. જે સેવામાં પ્રમાણપત્ર ફક્ત ડાઉનલોડ કરી શકાશે, જેમાં કોઇ સુધારા કરી શકાશે નહી. આ સુવિધાનો લાભ આજથી જ શરૂ કરવામાં આવ્યો છે.
આ સુવિધાનો લાભ લેવાની પ્રક્રિયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.