લોકો પાર્ટી પ્લોટમાં, ક્લબમાં, હોટેલ રેસ્ટોરન્ટમાં કરતા હોય છે પણ રાજકોટના શિવલાલ લિંબાસિયાએ અંતિમક્રિયાના ખાટલા પર કેક કાપીને 62મા જન્મદિનની ઉજવણી કરી હતી. તમામ અંધશ્રધ્ધાને તિલાંજલિ આપી પોતાનો 62મો જન્મદિવસ સ્મશાનમાં ઉજવ્યો છે. સામાન્ય રીતે સ્મશાનમાં જતા પહેલા જ લોકો ડરે છે અને આ ડર લોકોમાંથી દૂર થાય તે માટે આ પ્રયાસ કર્યો છે.
સ્મશાનમાં કેક કાપી ઉજવણી કરી
આજે જન્મદિવસે શિવલાલભાઈ સવારે તેના મિત્રો સાથે કણકોટ સ્મશાન પહોંચ્યા હતા અને સ્મશાનમાં કેક કાપી ઉજવણી કરી હતી સાથે જ સ્મશાનમાં ખાટલે બેસી મિત્રો સાથે ગાઠીયા પાર્ટી પણ કરી હતી. કદાચ જ આવો કોઈ કિસ્સો પહેલા બન્યો હશે કે કોઈએ સ્મશાનમાં પોતાના જન્મદિવસની ઉજવણી કરી હોય.
જન્મદિવસની ઉજવણી અવનવી રીતે કરી
શિવલાલ ભાઈ દર વખતે તેના જન્મદિવસની અવનવી રીતે ઉજવણી કરતા હોય છે ત્યારે આ વખતે તેઓને વિચાર આવ્યો, લોકોમાં સ્મશાન માટે રહેલી અંધશ્રદ્ધા દૂર થાય તે માટે તેઓએ આ એક પ્રયાસ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.