તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નાનામવા વિસ્તારમાં અલગ અલગ બે આપઘાતના બનાવમાં 18 અને 25 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી છે. બંને યુવતીએ બીમારીથી કંટાળી આપઘાત કરી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પ્રથમ બનાવમાં લક્ષ્મીના ઢોળા પાસે રહેતી ક્રિષ્ના અશોકભાઇ મારૂ નામની 18 વર્ષીય યુવતીએ ગત મોડી રાતે તેના ઘરે ચૂંદડીથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.
મોડી રાતે ક્રિષ્ના રૂમમાં જોવા નહીં મળતા અન્ય રૂમમાં તપાસ કરતા માતાને ક્રિષ્ના લટકતી હાલતમાં જોવા મળી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પૂછપરછમાં ક્રિષ્ના બે ભાઇ અને બે બહેનમાં મોટી હતી. પિતા ટ્રક ડ્રાઇવિંગ કરતા હોય હાલ મહારાષ્ટ્ર ગયા છે. ક્રિષ્નાને બે વર્ષથી પેટમાં દુખાવો થતો રહેતો હોય તેની દવા પણ ચાલુ છે.
દુખાવાથી કંટાળીને પગલું ભરી લીધાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું છે. જયારે અન્ય એક બનાવ નાનામવા વિસ્તારના નેહરુનગરમાં બન્યો હતો. જ્યાં નેહરુનગર-1માં રહેતી રૂપલ જેરામભાઇ જાદવ નામની યુવતીએ મંગળવારે તેના ઘરે ચૂંદડીથી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની પરિવારજનોને જાણ થતા બેભાન હાલતમાં નીચે ઉતારી 108ને જાણ કરી હતી. 108ની તપાસમાં રૂપલનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. માલવિયાનગર પોલીસની તપાસમાં રૂપલ બે ભાઇની એકની એક બહેન હતી. રૂપલને આંચકીની બીમારી હોય તેનાથી કંટાળીને પગલું ભરી લીધાની પરિવારે શંકા વ્યક્ત કરી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.