સોનાના દાગીના પર ફરજિયાત એચ.યુ.આઇ.ડી. હોલમાર્કનો નિયમ જૂન માસથી લાગુ કરવામાં આવ્યો છે. જ્યારથી આ નિયમ લાગુ થયો છે ત્યારથી સ્થાનિક હોલમાર્ક સેન્ટરમાં 15-20 દિવસનું વેઈટિંગ જોવા મળે છે. રાજકોટમાં પૂરતા પ્રમાણમાં હોલમાર્ક સેન્ટર નહિ હોવાથી રાજકોટના સોની વેપારી દાગીનામાં હોલમાર્ક કરાવવા માટે ગોંડલ, જૂનાગઢ, જેતપુર, અમદાવાદ સુધી જાય છે. જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના જણાવ્યા મુજબ નવા નિયમને કારણે હાલ હોલસેલર વેપારીઓ પાસેથી રિટેઈલર વેપારીઓ ખરીદી કરતા નથી.પોતાના દાગીનામાં સમયસર હોલમાર્ક થઇ જાય તે માટે સોની વેપારીઓમાં હાલ દોડધામ જોવા મળે છે.
કેટલાક સોની વેપારીઓ દુકાન બંધ કરીને અન્ય વ્યવસાય તરફ વળી ગયા
હાલ એચ.યુ.આઈ.ડી. નિયમને કારણે હાલમાં સોનાનો વેપાર પ્રભાવિત થયો છે. જેને કારણે કેટલાક સોની વેપારીઓએ હાલમાં તેની દુકાન બંધ કરી દીધી છે અને એફ.એમ.સી.જી, હેન્ડલૂમ, કિચનવેર, પરફ્યૂમ સેક્ટરના વેપારમાં વળી ગયા હોવાનું સોની વેપારીઓ જણાવે છે. વધુમાં સોની વેપારીઓએ એવી માગણી કરી છે કે, હોલમાર્કની પ્રથામાંથી ફાયર એસે સિસ્ટમ કાઢી નાખો કારણ કે, તેનાથી દાગીનો બગડે છે. આવો ફાયર એસે થયેલો દાગીનો કોઇ લેતું નથી. જેથી આવા દાગીનાને ફરજિયાત ગાળવો પડે છે જે નુકસાનકારક છે.
ફરજિયાત હોલમાર્કથી અસર અને પડતી મુશ્કેલી
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.