રાજકોટની જિલ્લા લાઇબ્રેરીમાં 50થી 80 વર્ષ જૂના વૃક્ષોને થડથી કાપી નાખ્યા છે આ મામલે મહિલા ગ્રંથપાલ કહે છે કે, આ વૃક્ષોની ડાળીઓ કાપવાની મંજૂરી તેમણે લીધી હતી પણ તેમની ગેરહાજરીમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ આવીને વૃક્ષો કાપી ગયા હતા. લાકડાંનું શું કર્યું અને શા માટે કાપ્યા તે તેમને ખબર નથી પણ ભાસ્કરે ઈજનેરો સાથે વાત કરતા નવો જ વળાંક આવ્યો છે કે આસિ. લાઇબ્રેરિયને જ વૃક્ષો કપાવ્યા હતા અને જે લાકડું હતું તે બધું સ્મશાનમાં ગયું છે જેની પહોંચ લાઇબ્રેરિયનને અપાઈ છે!
સમગ્ર મામલે ત્રણ લોકોની બેદરકારી
મનપાએ વૃક્ષોની કતલ બદલ જે નોટિસ મોકલી છે તેમાં સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન કાયદો તેમજ રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન સહિત હેઠળ ફરિયાદ દાખલ થઈ શકે તેથી પોતે ગેરહાજર હતા અને ખબર નથી તેવું સાબિત કરવા માટે પહોંચ રજૂ કરાઈ નથી. આ સમગ્ર મામલે ત્રણ લોકોની બેદરકારી સામે આવી છે.
આ રીતે સમજો કોણે કેટલી બેદરકારી દાખવી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.