તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બજેટમાં સોના પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં 2.50 ટકાનો ઘટાડો કરતા ઓલ ટાઈમ હાઈ રહેતા સોનાના ભાવ 49,600 ની સપાટીએ પહોંચ્યા છે. જેને કારણે સોનીબજારની ચમક પરત ફરી છે. આ સિવાય વર્ક ઓર્ડરની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે. પરિણામે મેન્યુફેક્ચરિંગથી લઈને રિટેલર્સને હાલમાં ચાંદી જ ચાંદી છે. ભાવમાં થતી વધઘટને કારણે લોકોની ખરીદી પેટર્નમાં બદલાવ આવ્યો છે.ઓછા બજેટમાં વધુ સોનું આવી જાય અને તે દેખાઈ એ માટે કાસ્ટિંગ લાઈટ વેઈટ દાગીનાની ખરીદી વધુ થઈ રહી છે. જે પહેલા વર્ટિકલ જ્વેલરી, એન્ટિક જ્વેલરીની ડિમાન્ડ વધુ રહેતી હતી તેમ સોની વેપારી મનોજભાઈ રાણપરા જણાવે છે.
કોરોનાનની મહામારીમાં સોનીબજારમાં કોઇ કામ નહીં રહેતા બંગાળી કારીગરો, સોની વેપારીઓને બીજા વ્યવસાય તરફ વળવાની નોબત ઊભી થઈ હતી, પરંતુ હવે પૂરતા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે અને ખરીદી નીકળી હોવાથી વેપારી અને કારીગરો પોતાના મૂળ વ્યવસાય તરફ પરત ફર્યા છે. જેમાં સોનાના દાગીનાની ડિઝાઈન ,નકશીકામ કરતા કારીગરોની સંખ્યા પહેલા જેટલી જ થઈ ગઇ હોવાનું જેમ્સ એન્ડ જ્વેલરી એસો.ના સેક્રેટરી મયૂરભાઈ આડેસરા જણાવે છે.
કોરોના પછી અને ભાવવધારાથી આ પરિવર્તન આવ્યું
સોનીબજારમાં પહેલા જેવો માહોલ થઇ રહ્યો છે
કોરોના પહેલા સોનીબજારનો જે માહોલ હતો તેવો માહોલ હવે થઈ રહ્યો છે. જોકે હજુ કેટલાક લોકો સોનાના ભાવમાં ઘટાડો થવાની રાહ જોઈ રહ્યા છે. આ સિવાય દેશભરમાંથી મળતા ઓર્ડરની સંખ્યા વધી રહી છે. - નરેનભાઈ બારભાયા, જેમ્સ એન્ડ જ્વેલરી એસો.ના બોર્ડ મેમ્બર
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.