તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવા થોરાળાના કસ્તુરબા વાલ્મીકિવાસમાં રહેતા મહેશ ચૌહાણ નામના યુવાન પર આરોપી અજય નારોલાએ તા.10-6-2017ના હથિયારોથી હુમલો કરી હત્યા કરી હતી. બનાવ અંગે મૃતક યુવાનની પત્ની કાજલે ફરિયાદ નોંધાવી હતી. મૃતક યુવાનના ભાઇને આરોપી અજય નારોલાની પત્ની સાથે આડા સંબંધ હતા. જેને કારણે આરોપી અજય મૃતક યુવાન મહેશ સાથે ઝઘડો કરતો હતો. દરમિયાન તેનો ખાર રાખી આરોપી અજય નારોલાએ ત્રણ વર્ષ પૂર્વે હત્યા કરી હતી. જેલહવાલે રહેલા આરોપીએ 60 દિવસના વચગાળા જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી. સરકારી વકીલની રજૂઆતને ધ્યાને રાખી કોર્ટે આરોપીના જામીન નામંજૂર કર્યા છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.