શહેરોમાં વેક્સિનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, પરંતુ ગામડાંના લોકોમાં અનેક પ્રકારની અંધશ્રદ્ધા હોવાને કારણે તેઓ વેક્સિન લઇ રહ્યા નથી. ગામડાંના લોકો કહે છે કે વેક્સિન નહિ પણ માનતા માનવાથી કોરોનાથી બચી શકાય છે, વેક્સિન લઇશું તો ભગવાન કોપાયમાન થશે અને સ્ત્રીઓને ગર્ભ નહિ રહે તેવી ખોટી માન્યતાઓ પ્રવર્તી રહી છે.
મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. જોગસણ જણાવે છે કે ગામડાંના લોકો એવું વિચારે છે કે શહેરમાં સારી વેક્સિન આપે છે, ગામડાંમાં અલગ પ્રકારની વેક્સિન અપાય છે. લોકોના મનમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા પ્રયાસ કરી રહ્યા છીએ. જિલ્લા કલેક્ટરે ગામડાંમાં વેક્સિન અંગે જાગૃતિ કેળવવા અને લોકોનું કાઉન્સેલિંગ કરી રસી લેવા માટે તૈયાર કરવાની જવાબદારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની ટીમને સોંપી છે. છેલ્લા ત્રણ દિવસથી સાઇકોલોજીના નિષ્ણાત પ્રોફેસરો અને વિદ્યાર્થીઓની ટીમ જુદાં જુદાં ગામડાંમાં ફરી રહી છે.
ભૂવા કહે છે રસી મુકાવાની માતાજીએ ના પાડી છે
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.