તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના પેડક રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની રણછોડનગર બ્રાંચના મેનેજર રાયસિંહ ધીરૂભાઇ જણકાટ પર સંતકબીર રોડ, સદગુરુ સોસાયટી-2માં રહેતા ધરમશી મુળજી રાઘવાણી નામના બેંક ખાતેદારે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ મુજબ, બે દિવસ પહેલા તેઓ બેંક પર હતા.
ત્યારે એક ખાતેદાર બેંકમાં દેકારો કરતા હતા. જેથી પોતે બહાર આવી ખાતેદાર પાસે પહોંચ્યા હતા. ત્યારે ખાતેદારે બૂમાબૂમ કરી તમે મારી ફિક્સ ડિપોઝિટનું વ્યાજ ખાઇ ગયા છો કહી ગાળો ભાંડવા લાગ્યો હતો. તમે બધા એક છો, મારું વ્યાજ ખાઇ ગયાનો આક્ષેપ કર્યો હતો. બેંકમાં ખાતેદારે માથાકૂટ કરતા મેનેજરે પોલીસને બોલાવવા માટે મોબાઇલ કરી રહ્યા હતા. આ સમયે ખાતેદાર અચાનક તેની પાસે રહેલા લોખંડના પાના સાથે ધસી આવી હુમલો કરી માથામાં ત્રણ ઘા ફટકારી દીધા હતા. જેને કારણે માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. પોતાના પર હુમલો થતા સિક્યુરિટી ગાર્ડ અને અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.