રાજકોટમાં માણસ અને શ્વાન વચ્ચેનો અનોખો પ્રેમ જોવા મળીયો. સાંજ પડતાની સાથે જ રાજકોટમાં અલગ અલગ જગ્યાએ શ્વાન રાહ જોઈને બેઠા હોય છે જે વ્યક્તિની તે હવે આ દુનિયામાં નથી રહ્યા. ત્યારે પોતાના શેઠના મૃત્યુ બાદ માંડણભાઈ નામના વ્યક્તિ કરી રહ્યા છે એવું કામ કે જેની દરરોજ રાહ જોઈ રહ્યા છે અનેક શ્વાન..
શેઠનું નિધન બે મહિના પહેલા થયું
માંડણભાઈ જોગરાણા નામના વ્યક્તિ છે જેમના શેઠનું મૃત્યુ બે મહિના પહેલા થયું હતું. મૃત્યુ પામેલા શેઠ દરરોજ શહેરમાં અલગ અલગ જગ્યાએ જઈને શ્વાનને દૂધ પીવડાવતા. તે આ કામ છેલ્લા 24 વર્ષ થયા કરી રહ્યા હતા જોકે તેમનું નિધન બે મહિના પહેલા થયું. ત્યારે તેમના માણસ માંડણભાઈને વિચાર આવ્યો કે હવે તેમના શેઠ નથી તો અનેક શ્વાનને કોણ સાંજે ખોરાક પૂરો પાડશે? શેઠની રાહ જોઈને બેઠેલા શ્વાન શેઠની ગેરહાજરીમાં જમવાનું ન મળતા તેઓ નિરાશ થશે આ વિચાર આવતાની સાથે જ માંડણભાઈ જોગરાણાએ શેઠની આ પરંપરા પોતે જાળવવાનું નક્કી કર્યું અને તેમના શેઠ જે રીતે રખડતા શ્વાનને ખોરાક પૂરો પાડતા તે રીતે તે પણ કાર્ય કરી રહ્યા છે.
1500 રૂપિયા જેટલો ખર્ચ થાય છે
માંડળભાઈ નામના વ્યક્તિ દરરોજ આશરે 150થી 175 જેટલા શ્વાનને તેઓ દૂધ આપે છે શહેરના અલગ અલગ 22 જેટલી જગ્યા પર જાય છે. તેઓ દરરોજ સાંજે 5:00 વાગ્યથી આ કામમાં લાગી જાય છે જે રાત્રે 8 વાગ્યા સુધી આ કાર્યકર્તા હોય છે દરરોજ 50 લિટર જેવું દૂધ આ શ્વાનને પીવડાવે છે. દરરોજનો આશરે 1500 રૂપિયા જેટલો ખર્ચ થાય છે જે ખર્ચ તેમના શ્રેષ્ઠના મિત્રો પણ ઉઠાવે છે. માંડળભાઈ સાંજે 5:00 વાગ્યે એરપોર્ટ ફાટક વિસ્તારમાંથી નીકળે છે ત્યાંથી તેઓ બહુમાળી ચોક સર્કિટ હાઉસ વિસ્તાર સહિતના અલગ અલગ વિસ્તારોમાં ફરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.