14 માર્ચથી રાજકોટ સહિત રાજ્યભરમાં બોર્ડની પરીક્ષા લેવાનાર છે ત્યારે ગયા વર્ષે રાજ્યભરની જે શાળાઓનું બોર્ડનું પરિણામ 30%થી ઓછું આવ્યું છે તેનું શૈક્ષણિક અને પરિણામનું સ્તર સુધારવા આ વર્ષે જ બોર્ડે અને શિક્ષણ વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં 30%થી ઓછું પરિણામ લાવનારી શાળાઓમાં શિક્ષકોએ દરરોજ 45 મિનિટ વધુ ભણાવવા નિર્ણય કર્યો છે. રાજકોટ જિલ્લાની 27 શાળામાં આ પ્રમાણે શિક્ષણકાર્ય શરૂ પણ કરી દેવાયું છે. રાજકોટ જિલ્લાની 27 શાળાનું 30%થી ઓછું પરિણામ આવ્યું તેમાં હાલ દરરોજ 45 મિનિટ શિક્ષકો દ્વારા વધુ અભ્યાસ કાર્ય કરાવવામાં આવે છે.
આ ઉપરાંત રજાના દિવસોમાં પણ વિદ્યાર્થીઓને ભણવા બોલાવાય છે. નબળું પરિણામ લાવનારી શાળાઓનું શિક્ષણનું અને પરિણામનું સ્તર સુધારવા બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. દિવાળી સમયથી જ આ એક્શન પ્લાન અમલી કરી દેવાયો છે અને 30%થી ઓછું પરિણામ લાવનારી શાળાઓમાં અભ્યાસનો સમય વધારી દેવાયો છે. રજાના દિવસોમાં પણ શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે.
5 વર્ષમાં ધો.10ની 4853 સ્કૂલનું પરિણામ 30%થી ઓછું રહ્યું | |||
વર્ષ | 30%થી ઓછું પરિણામ લાવનારી શાળાની સંખ્યા | 10%થી ઓછું પરિણામ લાવનારી શાળાની સંખ્યા\ | |
ધો.10 | ધો.12 સાયન્સ | ધો.12 કોમર્સ | |
2022 | 1007 | 1 | 61 |
2021 | માસ પ્રમોશન | માસ પ્રમોશન | માસ પ્રમોશન |
2020 | 1839 | 56 | 68 |
2019 | 995 | 79 | 49 |
2018 | 1012 | 76 | 26 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.