તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં વેક્સિન આવે તેની તૈયારીઓ આરંભી દેવાઈ છે. સૌથી પહેલા આરોગ્ય કર્મચારીને અપાશે પણ ત્યારબાદનું શું આયોજન છે તે મનપાના આરોગ્ય અધિકારી ડો. એલ. ટી. વાંજાએ 50 વર્ષથી વધુના વયના લોકોને હેલ્થ વર્કર બાદ વેક્સિન અપાશે છે.
ડો. વાંજા જણાવે છે કે શહેરમાં સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ તેમજ મનપાના આરોગ્ય કેન્દ્ર સહિત કુલ 4655 હેલ્થ વર્કર(તબીબો, સ્ટાફ) તેમજ ખાનગી હોસ્પિટલમાં કામ કરતા 8514 હેલ્થ વર્કરને સૌથી પહેલા વેક્સિન અપાશે. આ બધાનો ડેટા કો-વિન સોફ્ટવેરમાં નખાશે. ત્યારબાદ 50 વર્ષથી ઉપરના જે લોકો છે તેમને વેક્સિન અપાશે. આ લોકોની સંખ્યા વિશે તેઓ જણાવે છે કે મનપાના આરોગ્ય કર્મચારીઓ કોરોના માટે સતત સરવે કરતા હતા અને આ દરમિયાન ઘરે ઘરે જઈને કેટલા લોકો છે તેમજ તેમની ઉંમર પૂછીને તે વિગતો ટેકો સોફ્ટવેરમાં નાખતા હતા. તે ડેટામાં હાલની સ્થિતિએ 2,20,000 લોકો 50 વર્ષથી વધુની ઉંમરના છે તેમનો પણ ડેટાબેઝ તૈયાર કરાશે. મનપાના સરવે દરમિયાન ઘણા લોકોએ ખોટી વિગતો આપી હતી અને કેટલાકે વિગતો આપવાનો જ ઈન્કાર કરી દીધો છે. આરોગ્ય અધિકારીની વાત પરથી સ્પષ્ટ થયુ છે કે જે લોકો સાચી વિગતો આપી વૃધ્ધોના નામ આપ્યા હતા તેમના નામ વેક્સિનેશનમાં પણ આપી દેવાયા છે.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.