તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત, શુરા અને દાનવીરોની ભૂમિ. વિશ્વ વિખ્યાત વીરપુરમાં જલારામબાપાએ ગુરુ ભોજલરામબાપાના આશીર્વાદ થી સદાવ્રત ચાલુ કર્યું હતું. જેમના આજે 201 વર્ષ પૂર્ણ થયાં છે. જ્યારે જલારામ બાપાની જગ્યાના પૂજ્ય જયસુખરામબાપા દ્વારા મંદિરમાં કોઈ પણ પ્રકારનું રોકડ દાન કે ભેંટ સોગાદ સ્વીકાર્યા વગર ચલાવતા સદાવ્રતને આજે એકવીસ તેમજ પૂજ્ય જલારામબાપા દ્વારા સદાવ્રત શરૂ કર્યાને 201 વર્ષ પૂર્ણ થયા છે.
દાન ન સ્વીકારવાનાં 21 વર્ષ પૂર્ણ
આજે શનિવાર અને મહા સુદ બીજનો સુવર્ણ દિવસ વીરપુર જલારામબાપાની જગ્યાના જયસુખરામ બાપા દ્વારા એક અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો હતો કે મંદિર દ્વારા એક પણ રૂપિયાનું દાન કે ભેટ સોગાત સ્વીકારવામાં નહિ આવે. આવો ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ કહી શકાય તેવા નિર્ણયને 21 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આ 21 વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ પૂજ્ય બાપાની જગ્યામાં પ્રસાદીનો લાભ લીધો હશે. છતાંય હજુ વિરપુરમાં મંદિર દ્વારા પહેલાની જેમ જ સદાવ્રત ચાલી રહ્યું છે.
બાપાનાં પ્રિય કાર્યને ભક્તોએ આગળ વધાર્યુ
વિશ્વભરમા અલગ-અલગ સંપ્રદાયો દ્વારા ચલાવતા સદાવ્રતો માટે આ એક અજબની મિસાલ છે. પૂજ્ય બાપાની જગ્યામાં દાન સ્વીકારવાનું બંધ કરવાથી બાપાના દુનિયાભરમાં ફેલાયેલા અસંખ્ય ભક્તોએ પોત પોતાના સ્થળોએ બાપાની યાદમાં અન્નક્ષેત્રોની સફળતાપૂર્વક સ્થાપના કરી અને બાપાના પ્રિય કાર્યને આગળ વધાર્યુ છે. સાથે આજે પૂજ્ય જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રતને પણ 201 વર્ષ પૂર્ણ થયા છે.
21 વર્ષથી ભેટ-સોગાદો સ્વિકારાતી નથી
છેલ્લા 21 વર્ષથી વીરપુર જલારામધામ ખાતે કોઈ પણ પ્રકારની ભેટ-સોગાદો કે દાન સ્વિકારવામાં આવતું નથી. 201 વર્ષથી અન્નક્ષેત્ર અવિરતપણે ચાલી રહ્યું છે એ જલારામ બાપાનો સૌથી મોટો ચમત્કાર છે, એવું જલારામ બાપાના વંશજ ભરતભાઇ ચાંદ્રાણીએ જણાવ્યું હતું.
લોકડાઉનમાં 5 હજાર લોકોને ઘરે જઈને જમવાનું આપ્યું
ગત વર્ષે સદાવ્રતની બસો વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાઉન જાહેર થયું ત્યારથી દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ મંદિર આશ્રિત ભિક્ષુકો, દિવ્યાંગો તેમજ પરપ્રાંતીય મજૂરો માટે તો અન્નક્ષેત્ર ચાલુ જ રાખવામાં આવ્યું હતું. પરંતુ તે પાંચેક હજાર લોકોને મંદિર ખાતે નહીં પરંતુ તેઓ જ્યાં વસવાટ કરતા હોય ત્યાં જઈને ભોજન આપવામા આવ્યું હતું. એટલે અન્નક્ષેત્ર એક દિવસ પણ બંધ રહ્યું નથી.
(દિપક મોરબીયા, વીરપુર)
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.