તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકડાઉનમાં હાલ શ્રમિકો પોતાના વતન જવાની જીદે ચડ્યા છે. આ માટે પોલીસ અને વહીવટી તંત્રની મદદથી રોજ ટ્રેન મારફત શ્રમિકોને પોતાના વતન રવાના કરવામાં આવે છે. પરંતુ રાજકોટ માર્કેટ યાર્ડમાં કામ કરતા રાજસ્થાનના બાડમેર જિલ્લાના 1 હજાર શ્રમિકોએ પરત રાજકોટ આવવાની માંગ કરી છે. આ અંગે યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતું કે, બાડમેરના 1 હજાર કરતા વધુ શ્રમિકોની પરત આવવાની માંગ છે. 43 શ્રમિકોની યાદી બેડી માર્કેટ યાર્ડે જિલ્લા કલેક્ટરને સોપી છે. રાજસ્થાન સરકારમાંથી મંજૂરી મેળવ્યા બાદ પરત બોલાવાશે. હાલ માર્કેટ યાર્ડમાં 20થી 250 શ્રમિકો કાર્યરત છે. પરંતુ પરત આવવાની માંગ કરી રહેલા શ્રમિકો આવશે તો રોજનું યાર્ડનું ટર્નઓવર 10થી 12 કરોડ થઇ જશે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.