આત્મહત્યા:‘તું મને અધવચ્ચે મૂકીને કેમ વઇ ગઇ' લખી યુવકનો ફાંસો

ગોંડલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેમળાના કારખાનામાં શ્રમિકે મોત વહાલું કરી લીધું
  • આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું અનુમાન

ગોંડલ તાલુકાના શેમળા ગામમાં આવેલા કારખાનામાં કામ કરતા યુવાને કારખાનામાં આવેલી ઓરડીના પંખામાં દુપટ્ટા વડે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું, મૃતક યુવાનના મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો . પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

સોશિયલ મીડિયામાંં આવું સ્ટેટ્સ મૂક્યા બાદ યુવકે મોત વહાલું કરી દીધું હતું. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના શેમળા ગામમાં આવેલા કોપર જેમ્સ નામના કારખાનામાં કામ કરતા 28 વર્ષીય યુવાન મુકેશભાઈ જામાભાઈ પંચાલે કારખાનાની ઓરડીમાં ફાંસો ખાઇ લીધો હતો. મૃતક યુવાન અપરણિત હતો. તેના પરિવારમાં માતા પિતા અને 4 ભાઈ છે.

મૃતક યુવાન કારખાનામાં છૂટક મજૂરી કામ કરતો હતો. આઠ દિવસ પહેલા પોતાના વતનમાં ગયો હતો. ત્યારબાદ મોબાઈલમાં "દુઃખ ભરી લાગણી’ના સ્ટેટ્સ મૂકતો હતો. યુવાને ફાંસો ખાતા પહેલા પણ પોતાના મોબાઈલમાં ઉદાસીનું સ્ટેટ્સ મૂક્યું હતું જેમાં લખ્યું હતું કે "હું દર વખતે એજ વિચારું છું કે મારો તો શું વાંક હતો કે તું મને આમ અધવચ્ચે મૂકીને વઈ ગઈ...!’ સ્ટેટ્સ મૂકયા બાદ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...