ગોંડલ તાલુકાના આંબરડી ગામે રહેતી અને માનસિક બીમારીથી પીડાતી સગીરાએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. સગીરાના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના આંબરડી ગામે રહેતી અને ધો.11 માં અભ્યાસ કરતી પુજા રવજીભાઈ પરમાર (ઉ.વ.17) નામની સગીરાએ સવારે પોતાના ઘરે પંખાના હુંકમાં ચુંદડી વડે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. સગીરા માનસિક બીમારીથી પીડાતી હતી અને તેની સારવાર જામનગર સિવિલ હોસ્પિટલમાં ચાલતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સગીરાના પિતા છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરિવારમાં એકની એક દીકરીએ ફાંસો ખાઈ લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.