અકસ્માત અને આપધાતમાં મૃત્યુ પામેલા મૃતકોના અંતિમ સંસ્કાર કરતા પહેલા પોસ્ટમોર્ટમ કરવામાં આવતા હોય છે. ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ગત વર્ષ 2022માં કુલ 186 પીએમ કરવામાં આવ્યા હતા. જેમા 76 જેટલા આકસ્મિક બનાવ, 48 ઝેરી દવા, 42 ગળે ફાંસા, 20 ડુબેલા મૃતકોનો સમાવેશ થાય છે. સમાજમાં આપધાત અને અકસ્માતોનુ પ્રમાણ સતત વધી રહ્યુ છે. સૌરાષ્ટ્રના ગોંડલમાં આવેલી સરકારી હોસ્પિટલ સિવિલમાં ગત વર્ષ 2022માં 186 લાશનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
જેમાં સૌથી વધુ 76 લોકોનું વીજ કરંટ, ઝેરી જનાવર કરડવાથી, રેલ્વે અકસ્માત, રોડ અકસ્માતને કારણે મોત થયુ હતું. 48 મૃતકોએ ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલુ કર્યુ હતું. જ્યારે 42 લોકોએ ગળે ફાંસો ખાઇને જીવન લીલા સંકેલી હતી. 20 લોકો પાણીમાં ડૂબી જવાથી મોતને ભેટ્યા હતાં.
આ ઉપરાંત રોડ અકસ્માત, ઝેરી જીવજંતુ દ્વારા ડંશ મારવાથી પણ અનેક લોકોના મોત થયા હતાં. રેલ્વે અકસ્માતમાં પણ કેટલાક યાત્રીઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ગોંડલમાં સરકારી હોસ્પિટલમાં પી.એમ.નુ પ્રમાણ છેલ્લા કેટલાક વર્ષોથી સતત વધી રહ્યુ છે. તેને કારણે હોસ્પિટલોમાં પોસ્ટમોર્ટમની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. મોતનું કારણ જાણવા માટે પી.એમ. કરવામાં આવે છે. પી.એમ. કરવાથી અનેક ગુનાઓના ભેદ પણ ઉકેલાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.