ગોંડલના યુવાનો દ્વારા ગોંડલ ભાજપના ઉમેદવાર ગીતાબા જયરાજસિંહ જાડેજાની ઐતિહાસિક જીત બદલ આશાપુરા માતાજીના મંદિરે યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજાને મીઠાઈથી તુલા કરવામાં આવી હતી. આ તકે દિવ્યરાજસિંહ સોઢા, કુમારભાઈ માણેકવાડા, નાગરાજભાઈ વાળા, પુષ્પરાજભાઈ વાળા, ઋષિરાજસિંહ ઝાલા, સિદ્ધરાજસિંહ ઝાલા, ઋષિતભાઈ પટેલ, ભાણુભા હડમતાળા, સુજીત સેજપાલ, કીર્તિરાજસિંહ સોઢા, ધર્મેશભાઈ ઠાકર (ડી.કે), પ્રથમ ઠાકર, રવીરાજસિંહ ઝાલા સહિતના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ મીઠાઈને પ્રસાદી રૂપે ગોંડલ શહેરના ગરીબ બાળકો અને બાલાશ્રમ તેમજ વૃદ્ધાશ્રમમાં આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.