ધોરાજીના જેતપુર રોડ પર સ્થાનીક રહીશોએ બિસ્માર રોડ રસ્તાઓ મામલે નગરજનોએ ચક્કાજામ કરી રોષ વ્યક્ત કર્યો હતો. આ અંગે સ્થાનીક રહીશોએ જણાવ્યું હતું કે ધોરાજીના જેતપુર રોડ સહિતના અનેક બિસ્માર રસ્તાઓ મામલે અવારનવાર રજૂઆત કરવા છતા તંત્ર વાહકો દ્વારા સમસ્યા હલ નહી કરાતા લોકોમા રોષ વ્યાપી ગયો છે.
બિસ્માર રસ્તાની સમસ્યા હલ કરવા સ્થાનીક રહીશોએ ચક્કાજામ કરી દીધો હતો. ધોરાજીના જેતપુર રોડ પર સ્થાનીક રહીશોએ ચક્કાજામ કરતાં વાહનોની લાંબી લાઈન લાગી ગઇ હતી. અનેક વાહન ચાલકો ફસાયા હતા. આ મામલે પોલીસને જાણ થતાં ટીમે દોડી જઈને સ્થાનીક રહીશો સાથે ચર્ચા કરીને મામલો થાળે પાડયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.