તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદરમાં એનએસયુઆઇ દ્વારા રાજ્યભરની શાળાઓના વર્ગો બંધ કરાતા આંદોલનની ચીમકી અપાઈ હતી. ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારની 6,000 જેટલી સરકારી શાળાઓ આગામી સમયમાં બંધ કરવા તરફ સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે જેના પરિણામે ગ્રામ્ય વિસ્તારના બાળકોને ખાસ કરીને કન્યા શિક્ષણ પર મોટો ફટકો પડશે. પોરબંદરમા ભૌગોલિક સ્થિતિ જાણ્યા વગર શિક્ષણ કચેરીએથી શાળાઓ મર્જ કરવાનો આદેશ કરાયો છે. વીશથી વધુ સંખ્યા હોવા છતા ધો 6 અને 7 ના વર્ગો મર્જ કરવા આદેશ કરાયો, વિધાર્થીઓ ભણતર અધૂરૂ છોડવા પર મજબૂર થશે. ગામડાઓની શાળાઓ મર્જ કરવાથી શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો વધશે. જેથી આ નિર્ણય અટકાવાશે નહિ તો પોરબંદર જિલ્લા NSUI વાલીઓને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડશે તેવી શિક્ષણમંત્રીને જિલ્લા NSUI એ પત્ર લખી ઉગ્ર રજૂઆત કરી હતી.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.