તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદરમાં રાજાશાહી વખતના ટાવર આવેલા છે. જેનું યોગ્ય જતન નહીં થતા મોટાભાગના ટાવરો બંધ હાલતમાં જોવા મળે છે, આ ટાવરની ઘડીયાલના કાંટા થંભી ગયા છે તેને પૂર્વવત કરવામાં આવે તેવી માંગ શહેરીજનો કરી રહ્યા છે.
પોરબંદર શહેરમાં રાણીબાગ, માણેકચોક, સ્ટેટલાઈબ્રેરી સહિતના વિસ્તારોમાં રાજાશાહી વખતના ટાવરો આવેલા છે. આ ટાવરની ઘડીયાલો છાસવારે બંધ પડી જાય છે. અગાઉ નગરપાલિકાએ લાખો રૂપીયાનો ખર્ચ કરીને આ ટાવરોને જીવંત કર્યા હતા પરંતુ યોગ્ય જાળવણીના અભાવે હાલ આ ત્રણેય ટાવરો વર્ષોથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે.
શહેરની શોભા ગણાતા ઐતિહાસિક ધરોહર એવા રાજાશાહી વખતના ટાવરોનું જતન કરવામાં નહીં આવતા આ ટાવરો હાલ શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે જેને પગલે શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે. જેથી આ ધરોહર સમા ઘડીયાલના ટાવરો રીપેર કરાવી ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.