પોરબંદર શહેરની પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને પત્ર દ્વારા જણાવ્યું છે કે સરકાર દ્વારા નવી વર્ધિત પેન્શન યોજના અંગે આપવામાં આવેલ સમાધાન શિક્ષકોને માન્ય ન હોય અને આ બાબતે શિક્ષકો ફરી એકવાર સરકાર સમક્ષ જવા માંગતા હોય હાલ પુરતા શિક્ષકો પાસેથી વિકલ્પ માંગવાની પ્રક્રિયા બંધ રાખવા રજૂઆત કરવામાં આવી છે.
NPS નવી વર્ધિત પેન્શન યોજના ધરાવતા શિક્ષકોને 10% કપાત સામે 10% સરકારી ફાળો જમા કરવામાં આવતો હતો. જે અન્વયે આંદોલનના અંતે સરકાર સમક્ષ થયેલ સમાધાન મુજબ 10% કપાત સામે 14 % સરકારી ફાળો જમા કરવાનું સ્વીકારવામાં આવ્યું હતું. પણ પાછળથી સરકારે સમાધાનને ફેરવી તોળીને 10 સામે 10, 12 સામે 12 અને 14 સામે 14% આપવા બાબતનો પરિપત્ર થયેલ હોય, શિક્ષકોને આ બાબત માન્ય ન હોય, ફરીવાર સરકાર સમક્ષ રજૂઆત કરી સમાધાન મુજબ 10% સામે 14 % ફાળો આપે અને હાલ NPS નવી પેન્શન સ્કીમ ધારક શિક્ષકો પાસે વિકલ્પ માંગવામાં આવી રહ્યા છે એ પ્રક્રિયા હાલ પૂરતી બંધ રાખવામાં આવે એવી રજુઆત પોરબંદર શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવી છે.
શું કહે છે શિક્ષણમંત્રી ?
ઉલ્લેખનીય છે કે ગત તા. 16-09-2022 ના રોજ શિક્ષણમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને શિક્ષકોના પ્રશ્નોના સમાધાનની વાત કરી હતી અને આંદોલનનો અંત કરેલ હતો પરંતુ આજની તારીખે મોટાભાગના પ્રશ્નો એમ જ છે અને આ બાબતે શિક્ષકોએ ફરીવાર સરકાર સમક્ષ રજૂઆત કરવાનું નક્કી કરેલ છે.
શું હતી શિક્ષકોની માંગ ?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.