તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદર જિલ્લામાં ફ્રુટની લારી, હોટલ અને નાસ્તાની લારીએ સામાજિક અંતર ન જાળવતા પોલીસે 5 ધંધાર્થીઓ સામે જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધ્યો છે. પોરબંદરમાં સુનિલ જાદવ ગોહિલની ખારવાવાડ પાલાના ચોકમા આવેલી નાસ્તાની લારી, કેતન અરવિંદ પાણખાણીયા ની એસીસી ગ્રાઉન્ડના ગેઇટ પાસે આવેલ શ્રીજી દાલ પકવાન, રાજેશ દામજી પરમારની માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ શ્રી ચામુંડા નામની હોટલ, રાણાવાવના ફિરોજ અલી રાઠોડ ની પાલિકા કચેરી સામે ફ્રુટની લારીએ અને રાણાવાવના સરકારી દવાખાના સામે સરફરાઝ હારુન પાલાની ફ્રુટની લારીએ લોકો એકઠા થયા હતા અને સામાજિક અંતર જળવાયું ન હતું. અને કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય તેવુ બેદરકારી ભર્યું કૃત્ય કરતા મળી આવતા જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધી 5 જેટલા ધંધાર્થીઓ સામે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.