તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદરમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન કરવામાં આવેલા ૫૨૭ વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટમાંથી સદનશીબે એકપણ વ્યક્તિનો કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી અને હાલ ભાવસિંહજી હોસ્પીટલ ખાતે કોરોનાના એક્ટીવ દર્દીઓમાં ૨ ની સારવાર ચાલી રહી છે અને ૯ દર્દીઓના સ્ટેટસ પેન્ડીંગ છે. આમ જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૯૮,૫૯૮ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી કુલ ૯૬૧ દર્દીઓને કોરોના પોઝીટીવના રીપોર્ટસ સામે આવ્યો હતા.
અને આ પોઝીટીવ કેસોવાળા દર્દીઓની સારવાર બાદ તે પૈકીના કુલ ૯૫૩ દર્દીઓ સાજા થઇ જતા તે તમામને રજા આપવામાં આવી હતી. કોરોના જાહેરનામાનો ભંગ કરનારા કુંદન ભોજરાજભાઇ રામસંધાણી તેમજ મફતીયાપરામાં રહેતા મુકેશ પ્રાગજીભાઇ અગ્રાવત નામના ધંધાર્થીઓ સામે ભીડ એકઠી કરવા બદલ ગુના દાખલ કર્યો હતો.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.