તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદરમાં રાષ્ટ્રીય પ્રતિભા પરીક્ષા યોજાઈ હતી. ધોરણ 10ના 144 છાત્રો હાજર રહ્યા હતા જ્યારે 27 છાત્રો ગેરહાજર રહ્યા હતા.પોરબંદરમાં ગઈકાલે 14 તારીખે રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા નવયુગ વિદ્યાલય ખાતે યોજાઇ હતી. ધોરણ 10મા અભ્યાસ કરતા વિધાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાં 2 પેપર આપ્યા હતા. સવારે 11:30 થી 1:30 અને બપોરે 3 થી 5 પરીક્ષા નું આયોજન કરાયું હતું. .
પેપરમાં બૌધિક યોગ્યતા અને શૈક્ષણિક યોગ્યતા જેમાં બહુ વિકલ્પ સ્વરૂપ અને હેતુલક્ષી પ્રશ્નો પુછાયા હતા. આ મહત્વની પરીક્ષા મા જે વિધાર્થીઓ પાસ થશે તેઓને આગળ જવા માટે ક્વોટા મુજબ મેરીટમા સ્થાન મળશે અને તેઓને ધોરણ 11 અને 12 મા માસિક રૂ. 1250 શિષ્યવૃતિ મળશે. આ પરીક્ષા આપવા માટે 171 છાત્રો નોંધાયા હતા જેમાંથી 144 વિધાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે 27 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.