તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદરના સાંસદ રમેશ ધડુક દ્વારા સિંચાઇ યોજનાના સચિવને રજૂઆત કરી એવું જણાવ્યું હતું કે મહિયારી ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ રજૂઆત મુજબ આ ગામમાં આવેલ નદીમાં ગેટ વાળો પાળો બનાવવામાં આવે, જેથી દર વર્ષે ઉપરવાસના વિસ્તારમાંથી આવતું પાણી રોકી શકાય અને મીઠા પાણીનો વેડફાટ થતો પણ અટકાવી શકાય, મીઠા પાણીના કારણે હજારો ખેડૂતોને સિંચાઇનો લાભ મળી રહેશે.
નદી પર વર્ષો જૂનો ગેટ ખુબ જ જર્જરીત બની ગયો છે. જેથી આ ગેટ નવો બનાવવા આવે તે જરૂરી છે. દર વર્ષે વરસાદી પાણીનો વેડફાટ થઈ દરિયામાં વહી જાય છે. જેથી આ ગેટનું નવીનીકરણ કરવામાં આવે તો વેડફાટ થતું પાણી અટકી શકે છે. અને જર્જરીત પુલ નવો બનાવવામાં આવે તેવી પણ રજૂઆત કરાઇ હતી. પાણીનો વેડફાટ થતો અટકે તો આસપાસના ગ્રામ્ય પંથકના ખેડૂતોને પણ સિંચાઈ માટે ઉપયોગી નીવડી શકે તેમ છે. જેથી સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.