પોરબંદર જિલ્લાના જાવર ગામે ગત બુધવારના રોજ એક યુવાન કામધંધો કરતો ન હોય અને બેરોજગાર હોવાથી વડલાના ઝાડ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરના જાવર ગામે રહેતા પ્રકાશભાઇ બાબુભાઇ વાજા નામનો 32 વર્ષીય યુવાનનું 1 વર્ષ પહેલા અકસ્માત થયેલો હોય અને તેમાં ઇજા થવાથી તે કોઇ કામધંધો કરતો ન હોય ગત તા. 08-06-2022 ના રોજ મીઠાના અગર પાસે વાછરાડાડાના મંદિર પાસે આવેલ વડલાના ઝાડ પર દોરી બાંધીને ગાળાફાંસો ખાઇ લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ સારવાર દરમિયાન તેમનું દુ:ખદ મોત નિપજયું હતું. આ અંગે પોલીસમાં જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના PSI કે. એમ. સૈદયે હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.