આઝદી કા અમૃતમહોત્સવ અને સરકારના 100 દિવસની કામગીરીના લક્ષ્યાંકોના ભાગરૂપે જિલ્લા અભિલેખાગાર કચેરી પોરબંદર દ્રારા જવાહર નવોદય વિધાલય પોરબંદર ખાતે સ્વામી વિવેકાનંદના ઐતિહાસિક ફોટોગ્રાફસનું પ્રદર્શન યોજાયુ હતુ. પ્રદર્શનનું ઉદઘાટન નરસિંહ મહેતા યુનિવર્સીટી જુનાગઢના ઇતિહાસ વિભાગના વડા ડો. વિશાલ જોષીના હસ્તે કરાયુ હતુ.
અતિથિ વિશેષ તરીકે અધ્યાપક ડો. રૂષિરાજ ઉપાધ્યાય, જવાહર નવોદય વિધાલયના આચાર્ય આર. કુમાવત, ગુ.રા.અભિલેખાગાર ખાતુ ગાંધીનગરના અધિકારી જશવંતગિરિ ગોસ્વામી અને જિલ્લા અભિલેખાગાર કચેરી પોરબંદરના અધિકારી વનરાજસિંહ હાડા ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે ડો. વિશાલ જોષીએ જણાવ્યુ કે, વિવેકાનંદજીનું વ્યક્તિત્વ ભારતની યુવા પેઢી માટે પ્રેરણાત્મક છે.
વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને દર્શનનો ડંકો વગાડનાર વિવેકાનંદજીના વ્યાખ્યાનો અને સંદેશાઓને આત્મસાત કરીને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ થઇ શકશે. ગુજરાતમાં જયાં જયાં સ્વામી વિવેકાનંદજીનો પ્રવાસ થયેલ છે ત્યાં ગુ.રા.અભિલેખાગાર ખાતા દ્વારા પ્રદર્શનો યોજવા જોઇએ. તેમના વિચારો શક્તિપુંજ સમાન છે.
આ સમગ્ર પ્રદર્શનનું આયોજન જશવંતગિરિ ગોસ્વામી અને વનરાજસિંહ હાડા દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ પ્રદર્શનથી વિધાર્થીઓ-યુવાનો વિવેકાનંદજીના જીવન ઝરમરના ફોટોગ્રાફસથી પ્રેરણા લીધી આ પ્રદર્શન જવાહર નવોદય વિધાલયના 550 વિધાર્થીઓ, શિક્ષકો તેમજ એરપોર્ટના પરિવારજનોએ નિહાળીને અભિભુત થયા અને આવા વિવિધ પ્રદર્શનો સમયાંતરે યોજાય અને પોરબંદરવાસીઓને તેનો લાભ મળે તેવુ સુચન કર્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.