• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Administrative System Is Determined To Issue E labor Card In Pokbandar District, Aadhaar Card, Mobile Number And Bank Passbook Are Required To Get E labor Card.

ઇ-શ્રમ કાર્ડ યોજના:પોરબંદર જિલ્લામાં ઈ-શ્રમ કાર્ડ કઢાવવા વહીવટી તંત્ર કટિબદ્ધ, ઇ-શ્રમ કાર્ડ મેળવવા આધારકાર્ડ, મોબાઈલ નંબર અને બેંકની પાસબુક જરૂરી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત સરકાર અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાના કામદારો તથા વિક્રેતાઓના કલ્યાણ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેઓના માટે ઇ-શ્રમ કાર્ડ યોજના અમલમાં મુકવામાં આવી છે.

જિલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શનમાં પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર પણ અસંગઠિત ક્ષેત્રના કામદારોના કલ્યાણ માટે કટિબદ્ધ છે. જેના માટે તંત્ર દ્વારા જિલ્લામાં ઇ-શ્રમ કાર્ડ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તથા અવાર નવાર કેમ્પ પણ યોજવામાં આવે છે.

પોરબંદર જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત મારફત ઇ-શ્રમ કાર્ડ કાઢી આપવાની કામગીરી હાલમાં શરૂ છે. તેમજ પોરબંદર શહેરમાં કડીયા પ્લોટ આંગણવાડી, ઝુરીબાગ આંગણવાડી, સુભાષનગર તુંબદા -2 આંગણવાડી તથા છાયા બેંક કોલોની આંગણવાડી ખાતે ઇ-શ્રમ કાર્ડ કાઢવાની કામગીરી શરૂ છે. વધુમાં વધુ લોકો ઇ-શ્રમ કાર્ડ કઢાવે તેવી અપીલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાઈ છે.

ઇ-શ્રમ કાર્ડના લાભ:

  • ઇ-શ્રમ કાર્ડ ધારક વ્યક્તિનું આકસ્મિક સંજોગોમાં અવસાન થાય તો પરિવારને રૂ.2 લાખની સહાય મળવાપાત્ર છે.
  • ઇ-શ્રમ કાર્ડધારક વ્યક્તિ શારીરિક રીતે અપંગના કિસ્સામાં રૂ.૧ લાખની સહાય મળવાપાત્ર છે.

ઇ-શ્રમ કાર્ડ કઢાવવા માટે જરૂરી દસ્તાવેજો:

  1. આધાર કાર્ડ
  2. મોબાઈલ નંબર
  3. બેંક એકાઉન્ટની પાસબુક
અન્ય સમાચારો પણ છે...