ગુજરાત સરકાર દ્વારા હાલ રાજ્યના નાગરીકો જેમાં સીનીયર સિટીઝન, મહિલાઓ અને બાળકોને તેમજ વ્યાજ ખોરોના ભોગ બનનાર વ્યક્તિઓને કોઇપણ પ્રકારની પોલીસને લગતી સમસ્યાઓ હોય તો કોઇ નાગરીકોને પોલીસ કચેરી કે પોલીસ સ્ટેશને જવુ ન પડે તે હેતુથી જે તે ગામ તથા વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરીને પ્રજાના પોલીસને લગતા પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ કરવા જણાવેલું છે.
સરકારના પ્રજાલક્ષી અભિગમને સાર્થક કરવા જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની સુચનાથી તેમજ પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશન દ્વારા પોરબંદરના તાજાવાલા હોલ ખાતે પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામા આવેલું હતુ.
લોક દરબારમાં પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની, પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી તથા પીઆઈ એસ.ડી.સાળુંકે સહિત કમલાબાગ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા. લોક દરબારમાં સીનીયર સિટીઝન, મહિલા તથા બાળકોને સરકારના પ્રજાલક્ષી અભિગમની માહિતી આપી હતી અને નાગરીકોને કોઇપણ પ્રકારની પોલીસને લગતી સમસ્યા હોય તો રજુઆત કરવા અપીલ કરવામા આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.