પાકિસ્તાન મરીન સિક્યુરિટીની વધુ એક નાપાક હરકત સામે આવી છે. ભારતીય જળસીમાં માંથી 5 બોટ અને 30 માછીમારના અપહરણ કર્યા છે જેમાં પોરબંદર, ઓખા, માંગરોળ, વણાંકબારાની બોટ હોવાનું જાણવા મળે છે. એક માસમાં 20 બોટ અને 120 માછીમારના અપહરણ થયા છે.
પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા છાસવારે ભારતીય જળસીમામાં ઘુસીને ભારતીય બોટ સહિત માછીમારોના અપહરણ કરી લઈ જવાની ઘટના સામે આવે છે ત્યારે શુક્રવારે પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય જળસીમાં માંથી માછીમારી કરી રહેલ 5 બોટ અને 30 માછીમારોના અપહરણ કરી પાકિસ્તાન લઈ ગયા છે.
જેમાં પોરબંદરની 1, માંગરોળની 2, ઓખાની 1, વણાંકબારા દિવની 1 એમ કુલ 5 બોટ અને 30 માછીમારનો સમાવેશ થાય છે. બોટ અને માછીમારોના નામ હવે જાહેર થશે તેવું માછીમાર આગેવન મનીષ લોઢારીએ જણાવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય જળસીમામાં ઘુસીને બોટ તથા માછીમારોના અપહરણ કરવાનો 10 દિવસ બાદ વધુ એક બનાવ બન્યો છે. એક માસમાં 20 બોટ અને 120 માછીમારના અપહરણ થયા છે
જેમાં ઓખાની તુલસીમૈયા બોટ અને 7 માછીમાર, નવસારીની સત્યવતી બોટ અને તેમાં સવાર 3 માછીમાર, મેરાજ અલી અને અલ અહદ બોટ અને તેમાં સવાર 13 માછીમાર તેમજ 10 બોટ અને 60 માછીમારના બોટ સાથે પાક. મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરી લઈ ગયા છે. વધુ એક વખત 5 બોટ અને 30 માછીમારના અપહરણ કરી પાકિસ્તાન લઈ ગયા છે. હાલ પાકિસ્તાનના કબ્જામા 600થી વધુ ભારતીય માછીમાર અને 1200થી વધુ ભારતીય બોટ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.