પોરબંદરમાં 24 કલાકમાં 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. 8 દર્દી ડિસ્ચાર્જ થયા છે. કોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલ માંથી નાશી જતા પોલીસને જાણ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 766 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં પોરબંદરના કુંભારવાડા વિસ્તાર માંથી 24 વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 4211એ પહોંચ્યો છે.
8 દર્દી સાજા થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવતા જિલ્લામાં ડિસ્ચાર્જ દર્દીનો કુલ આંકડો 4027એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં કુલ 45 કેસ એક્ટિવ છે જેમાંથી 12 દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે, કોવિડ કેર સેન્ટર ખાતે 16 દર્દી, જ્યારે 17 દર્દી હોમ આઇસોલેટ થયા છે.
અત્યાર સુધીમાં કુલ 397323 ટેસ્ટ થયા છે. ઠક્કરપ્લોટ વિસ્તારમાં રહેતા એક 60 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આ દર્દીને કોવિડ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવતા હતા તે દરમ્યાન આ દર્દી દોડીને નાશી છૂટતા આ અંગે હોસ્પિટલના સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, હોસ્પિટલ ખાતેથી કોરોના દર્દી નાશી છૂટયાની આ બીજી ઘટના સામે આવી છે. જિલ્લામાં કોરોનાની કેસની સંખ્યા સામે આવતા લોકોને સતર્ક રહેવા આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.