પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતે આગામી 22મી મેના રોજ શહિદોને વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા ભાજપ દ્વારા વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે સોમવારે સવારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ખાસ કરીને વિરંજલી કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય તેવો પ્રયાસ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકાર સાઇરામ દવે વિશેષ હાજરી આપવાના છે. જિલ્લા વહીવટીતંત્ર અને પાટણ જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમના ભાગરૂપે ભાજપ કાર્યાલય ખાતે બેઠક મળી હતી. જેમાં નગર પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી, સ્નેહલ પટેલ, શૈલેષ પટેલ, હેમંત તન્ના, વિરંજલી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.