તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વધુમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, અનિવાર્ય સંજોગોમાં શિશુને તરછોડનાર વાલીની અપરાધની લાગણી ઓછી થવા સાથે શિશુની સાર-સંભાળ અને જતન બાદ સંતાનઈચ્છુક દંપતિઓને તે બાળક દત્તક આપવાથી તેમના જીવનમાં ખુશાલી આવશે.
કેટલીક વાર વાલી-વારસ દ્વારા તાજા જન્મેલા નવજાત શિશુને કોઈ અવાવરૂ સ્થળ પર, ઝાડીમાં, કચરાપેટીમાં કે ખાડા-ખાબોચીયા જેવા સ્થળોએ ત્યજી દેવામાં આવતા હોય છે જેના કારણે બાળકને શારીરિક-માનસિક ઈજાઓ થતી હોય છે. જેના કારણે બાળકનો જીવ સમયસર બચાવી શકાતો નથી. આવા નવજાત શિશુઓને કોઈ સ્થળે નોંધારા મૂકી દેવાની પ્રવૃત્તિ અટકાવવા તથા તેના જતન માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે પારણું મુકવામાં આવ્યું.
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, છેલ્લા આઠ વર્ષમાં વિવિધ ૦૮ જેટલા ત્યજી દેવાયેલા બાળકોની સાર-સંભાળ અને ત્યારબાદની પ્રક્રિયા બાળ સુરક્ષા કચેરી દ્વારા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ ખાતે અનામી પારણું મૂકવાથી શિશુને સત્વરે સારવાર મળી રહેશે. જેનાથી તેને થનારૂં શારીરિક-માનસિક નુકશાન અટકશે અને તેનો જીવ બચાવી શકાશે.
આ પારણામાં નીચે ગાદીના ભાગે સેન્સર મુકવામાં આવ્યું છે. પારણામાં શિશુને મુકવાના કારણે તે સેન્સર એક્ટિવેટ થશે અને પાસે રહેલા સ્ટાફ નર્સ રૂમમાં રહેલું અલાર્મ વાગશે. જેનાથી તુરંત જ તે શિશુની યોગ્ય સાર-સંભાળ શક્ય બનશે.
આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ.અરવિંદ પરમાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.સી.કાસેલા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.