સ્વામી વિવેકાનંદ જન્મજયતી નિમિત્તે પાટણ શહેરના રેલવે સ્ટેશન રોડ પર મુકવામાં આવેલી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પાટણ શહેર ભાજપ અને ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા પ્રતિમાને માલ્યાર્પણ કરી વંદન કરવામાં આવ્યું હતુ. સ્વામી વિવેકાનંદજી અમર રહો... ભારત માતાકી જય... વંદે માતરમ્... તથા ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો... જેવા નારા લગાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નગર પાલિકા પ્રમુખ સ્મિત બેન પટેલ, ભાજપ શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી,ગૌરવ મોદી,ધર્મેન્દ્ર ભાઈ પટેલ સહિત ભાજપ ના કાર્યકરો સહિત ભારત વિકાસ પરિષદ શાખાના ટ્રસ્ટીઓ ભાનુભાઈ સોની, અશ્વિનભાઈ પારેખ, શાંતિભાઈ સ્વામી શાખા પ્રમુખ પારસભાઈ ખમાર, મંત્રી જીતુભાઈ ઓતીયા, ખજાનચી દિનેશભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ ઉત્તર પ્રાંતના મહામંત્રી હેમંતભાઈ કાંટાવાલા તેમજ કારોબારી મિત્રો વિજયભાઈ પટેલ, ડો.શૈલેષભાઈ સોમપુરા, કમલેશ ભાઈસ્વામી, ઉપરાંત મોટી સંખ્યામાં સંસ્થાના સભ્યો હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.