તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શંખેશ્વરના પંચાસરગામની સીમામાં ખેતીવાડી વીજ જોડાણ નાખવામાં આવેલું છે. ત્યાં અજાણ્યા શખ્સોએ વીજવાયરની લાઇનના વાયરની ચોરી કરીને નાસી ગયા હતા. આ વીજવાયરની કિંમત 1 લાખ 35 હજાર રૂપિયા થાય છે. ચોરી થયેલી વીજ કંપનીના નાયબ ઇજનેરે સમી પોલીસ મથકે આ બનાવ અંગે ચોરીની ફરિયાદ નોંધાવી દેતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
અંધારાનો ફાયદો ઉઠાવી ચોરી કરાઇ
શંખેશ્વર તાલુકાના પંચાસરગામની સીમામાં આવેલા ઉત્તર ગુજરાત વીજ કંપનીના વાયરની ચોરી તસ્કરોએ કરી હતી. આ ખેતીવાડી વીજ જોડાણની લાઇન ગોયલ દાનુભાઇના બોર તરફથી ચાવડા રમાભાઇના બોર તરફ જઇ રહી હતી. જે બન્ને લાઇનોમાં વીજ જોડાણ હતું. ત્યારે ગુરૂવારે રાત્રે અંધારાનો ફાયદો ઉઠાવીને અજાણ્યા તસ્કરોએ એલ્યુમિનીયમના 55 એમ.એન.સ્ક્વેર રેબીટ કંડકટર વાયરની ચોરી કરી હતી.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
ચારી થયેલા વાયરોની કિંમત આશરે 1 લાખ 35 હજાર થાય છે, તે આશરે 5.4345 કી.મી. એવા 43 ગાળાના ત્રણ વાયરો હતા. જે તસ્કરો ચોરીને નાસી ગયા હતા. આ બનાવ અંગે નાયબ ઇજનેરે શંખેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આગળ વધુ તપાસ હાથ ધરી હતી.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.