પાટણના નગરજનો માટે માથાના દુઃખાવા રૂપ બનેલા રખડતા ઢોરોની સમસ્યાને નિવારવા પાલિકા દ્વારા કામગીરી તેજ બનાવવામાં આવી હોય જેના પગલે હાલમાં પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લામાં ધાસચારાનુ વેચાણ કરતાં શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો શહેરમાંથી રખડતા ઢોરોને પકડવાની ઝુંબેશ પણ ટુંક સમયમાં હાથ ધરાનાર હોવાનું પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ અને ઉપપ્રમુખ ધર્મેશભાઈ પ્રજાપતિ વચ્ચે યોજાયેલ બેઠકમાં વિચાર વિમર્શ દરમિયાન જણાવ્યું હતું.
પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ અને ઉપપ્રમુખ ધર્મેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા ઢોર ડબ્બાની ઝુંબેશ દરમિયાન પકડાયેલાં રખડતા ઢોરોનાં રખરખાવ માટે પાલિકા હસ્તકની સિધ્ધપુર હાઈવે ઉપર આવેલ પાંચકુવા પાસેની 25 થી 30 વીધા જેટલી જમીનમાં શેડ, ધાસચારાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ બની રહે તેવાં ઉદેશથી પાલિકા દ્વારા ટુંક જ સમયમાં સરકાર માં દરખાસ્ત કરી ગ્રાન્ટની માંગણી કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવનાર હોવાનું પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખે જણાવ્યું હતું.
પાટણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ નિવારણ પાલિકા કટિબદ્ધ બની છે. ત્યારે સાચાં અથૅમાં શહેરમાંથી રખડતાં ઢોરોની સમસ્યા નિવારવા પાલિકા તંત્રએ કમર કસી હોવાનું પણ પાલિકાનાં સુત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.