આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીએ જણાવ્યું હતું.કે કેન્દ્ર સરકારની સૌથી મહત્વની ચાર જેટલી યોજનાઓ છેવાડાના માનવીને અસરકરતા છે.કેન્દ્રના વિકાસ માટે રાજ્ય અને રાજ્યના વિકાસ માટે જિલ્લો અને જિલ્લાના વિકાસ માટે તાલુકો તેમજ તાલુકાના વિકાસ માટે ગામડું મહત્વની ભૂમિકા ભજવતી હોય છે.અગાઉ જે ગરીબી રેખાનો રેશિયો હતો.તે રેશિયો સરકારની વિવિધ યોજનાઓથી આ રેશિયો ઘટ્યો છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.કે.મકવાણાએ જણાવ્યું હતું.કે રાજ્ય સરકાર દ્વારા સરકારની વિવિધ કલ્યાકારી યોજનોઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે.જેના કારણે સાચા લાભાર્થીને સરકારની યોજનાનો લાભ મળ્યો છે.છેવાડાના લોકો આર્થિક રીતે પગભર થાય તે માટે વહીવટ તંત્ર કટિબદ્ધ થશે ત્યારે જ સરકારની યોજના જનજન સુધી પહોંચશે.સાથે સાથે જોબકાર્ડ ની કામગીરી બાબતે પણ સમયાંતરે જોબકાર્ડની ચકાસણી થાય તે પણ જરૂરી છે.તેવું તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી કેતનભાઈ પ્રજાપતી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રેમીલાબેન પટેલ,જિલ્લા પંચાયત વિપક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ,તાલુકા પંચાયત કારોબારી ચેરમન અમિતભાઇ પટેલ,સમાજિક ન્યાય સમિતિની ચેરમેન નરેશભાઈ પરમાર,તાલુકા પંચાયતના દંડક ગેમરભાઈ દેસાઈ,તાલુકા પંચાયતના વિપક્ષના નેતા સોહન પટેલ સહિત તાલુકા પંચાયત કર્મચારીઓ તેમજ પાટણ તાલુકાના સરપંચ તેમજ તલાટી ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.