પાટણ જિલ્લા બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય સંઘ દ્વારા ધો.10 બોર્ડની પરીક્ષાના ગુજરાતીના પેપરમાં 4 માર્ક્સ બાબતે વિદ્યાર્થી હિતમાં યોગ્ય નિર્ણય કરવા ગુજરાત શિક્ષણ બોર્ડ,ગાંધીનગરના સચિવને લેખિત રજુઆત કરાઈ હતી.
આચાર્ય સંઘ દ્વારા માર્ચ- 2023માં લેવાયેલ એસએસસી બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયની પરીક્ષામાં પેપર સેટરની ભૂલનો લાભ વિદ્યાર્થીઓને આપવા રજુઆત કરાઈ છે. રજુઆત માં વધુમાં જણાવ્યું હતું કે, 14/03/2023 ના રોજ લેવાયેલ ગુજરાતી વિષયની પરીક્ષાના પ્રશ્નપત્રમાં બોર્ડ દ્વારા તા.12/06/2019ના પત્રથી પ્રશ્નપત્રનું પરિરૂપ, ગુણભાર અને બ્લ્યુપ્રિન્ટ જાહેર કરવામાં આવેલ જેમાં વિભાગ-ઇમાં કૃતિ અને કૃતિસંગ્રહ એવાં જોડકાં પૂછવાનો ઉલ્લેખ છે જ નહીં અને તે પ્રશ્નપત્રના માળખાની બહાર જઈને, તેની મર્યાદાને વટાવીને પેપર કાઢવામાં આવેલ છે, જે વિદ્યાર્થીઓ સાથેનો એક અન્યાય જ કહેવાય. એટલે આ ચાર ગુણ જે વિદ્યાર્થીઓને નથી મળતા એ વિદ્યાર્થીઓને પણ મળવાપાત્ર છે. તો પરીક્ષામાં હાજર તમામ વિદ્યાર્થીઓને ચાર (4) ગુણ આપી દેવા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા માંગણી અને રજુઆત કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.