તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વઢીયાર પંથકના કુવારદ ગામે બેસતા વર્ષના દિવસે અનોખી પરંપરા જોવા મળે છે મોર ને બચાવવા માટે યુદ્ધમાં બલિદાન આપનાર નાડોદા રાજપૂત સમાજના ૧૫ યુવાનોના પાળિયાને સિંદુર લગાવી પૂજન અર્ચન કરી શહીદોની શહાદતને યાદ કરી બેસતા વર્ષની ઉજવણી કરે છે: વઢીયાર ની ભૂમિ સૌર્ય અને પરાક્રમની ભૂમિ છે, વઢીયાર ના દરેક પાદરે અનેક પાળિયાઓ તેની પ્રતીતિ છે આવી જ ઘટના ની વાત કરીએ તો આઝાદી પહેલા ગાયકવાડી સરકાર વખતે કૂવારદ ગામ ની સીમ વિસ્તારમાં કેટલાક શિકારીઓ શિકાર કરવા નીકળે છે અને મોરનો શિકાર કરે છે મોરની મરણ ચીસ કુવારદ ગામના પાદર સુધી સંભળાય છે અને ગામના યુવાનો મોરને બચાવવા માટે ઘટનાસ્થળે પહોંચી જાય છે જ્યાં મકરાણી શિકારીઓ અને ગામના યુવાનો વચ્ચે ધીંગાણું ખેલાયું, મુજપુર અને વઢીયાર ના સંત ભુતનાથ અને તેમનો ચેલો અખય ભગત પણ જોડાયા ગામના 15 યુવાનો લડતા શહીદ થયા કુવારદ ગામના પાદરમાં આજ પણ આ શહીદોના પાળીયા છે અને દર કાળી ચૌદશ અને બેસતા વર્ષના રોજ ગામમાં રહેતા તથા વ્યવસાય અર્થે બહાર રહેતા લોકો આ પાળિયાઓનું પૂજન અર્ચન કરી પૂર્વજોના બલિદાનને યાદ કરે છે અને ઉનાળામાં ગાયોને ઘાસચારો તથા અન્ય પુણ્યના કામો કરે છે ગામના સહકારી અગ્રણી રાજુભાઈ કટારીયા જણાવે છે કે વઢિયારની ભૂમિ સૌર્ય અને પરાક્રમની ભૂમિ છે આ પાળિયા અમારા ઇતિહાસ, પૂર્વજોના બલિદાનનું સંભારણું છે દર વર્ષે અમે શહીદોને યાદ કરી શ્રધ્ધાંજલિ પાઠવીએ છીએ
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.