‘નેત્ર-જ્ઞાનજ્યોત’:પાટણમાં ‘નેત્ર-જ્ઞાનજ્યોત’ જાગૃતિ કેમ્પનો પ્રારંભ, વિવિધ શાળાઓમાં બાળકોની આંખો તપાવવામાં આવશે

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરની વિભિન્ન શાળાઓના બાળકોની આંખોના ચેકઅપ તથા વાંચન જાગૃતિ માટે ‘નેત્ર-જ્ઞાન જ્યોત જાગૃતિ કેમ્પ'નો પ્રારંભ કરાયો છે.

કાર્યક્રમનો પ્રારંભ પાટણની વી.એમ.દવે હાઇસ્કૂલથી કરાયો
પાટણની ફત્તેસિંહરાવ પુસ્તકાલય દ્વારા આયોજીત આ કાર્યક્રમનો પ્રારંભ પાટણની વી.એમ. દવે હાઇસ્કૂલ ખાતેથી કરાયો હતો. આ પ્રસંગે યોજાયેલા ઉદ્ઘાટન કાર્યક્રમમાં આ કેમ્પના સૌજન્યકર્તા ડૉ. વડનગરની આર્ટ્સ-કોમર્સ કોલેજના ડૉ. જ્યોત્સનાબેન ચીમનલાલ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

બાળકોની આંખોની તપાસ કરાઈ
આ નેત્ર કેમ્પમાં પાટણના જાણીતા નેત્રચિકિત્સક ડૉ. નિખીલ ખમારે સેવા આપી હતી ને બાળકોની આંખોની તપાસ કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરેશ દેશમુખ, જયેશ વ્યાસ, મહાસુખ મોદી, રાજેશ પરીખ સહિત પારસ ખમાર, મમતાબેન ખમાર, અશ્વિન નાયક અને રાવલ પરિવારના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

91 વિદ્યાર્થીઓની સંતોષકારક રીતે તપાસ કરી
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન લાયબ્રેરીના પ્રમુખ ડૉ. શૈલેષ સોમપુરાએ કર્યું હતું તથા સંચાલન સુનિલ પાટીદારે કર્યું હતું. આ પ્રસંગે પાટણના નેત્ર ચિકિત્સક ડૉ. નિખિલ ખમારે 91 વિદ્યાર્થીઓની સંતોષકારક રીતે તપાસ કરી હતી. જે પૈકીના 26 વિદ્યાર્થીઓને દૃષ્ટિની તકલીફ હોવાથી તેઓને ફરી તપાસીને રાહતદરે ચશ્મા આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...