સાંતલપુર અને રાધનપુર વિસ્તારની નર્મદા કેનાલમાં પાણી છોડવા રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. જેમાં આગામી સપ્તાહ સુધી પાણી છોડવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી છે.
સાંતલપુર-રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિસ્તારની નર્મદા કેનાલમાં પાણી છોડવા પત્ર લખી રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, સાંતલપુર, રાધનપુર અને સમી તાલુકામાં પીવાના પાણીની સમસ્યા થઈ રહી છે. ખેડૂતોનો પાક પણ સિંચાઈના અભાવે નાશ પામે તેમ છે. ડેમમાં પાણી ઐતિહાસિક સપાટીએ છે.
સરકાર દ્વારા બનાસકાંઠામાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યુ છે. ત્યારે સરહદી ત્રણ તાલુકાઓમાં પાણી છોડવામાં ભેદભાવ રખાયો હોવાથી આ ત્રણ તાલુકાઓમાં યોગ્ય નિર્ણય કરી પાણી છોડવાની રજૂઆત કરાઈ હતી. આગામી સપ્તાહમાં પાણી છોડવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.