તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટણ નજીક આવેલ અધાર ગામે બિરાજમાન કુવારીકા માતાજીના મંદિરે આગામી 11 અને 12 એપ્રિલના રોજ ભરાતો પરંપરાગત લોકમેળો કોરોનાની વૈશ્વિક મહામારીને લઈ ચાલુ સાલે બંધ રાખવા સમસ્ત ગ્રામજનો દ્વારા નિર્ણય લેવાયો છે. જોકે દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રહેશે એવો નિર્ણય લેવાયો છે. અધાર ગામે બિરાજમાન કુવારીકા માતાજીના પ્રસિદ્ધ મંદિરે ફાગણ વદ અમાસના દિવસે પરંપરાગત લોકમેળો ભરાય છે. પરંતુ છેલ્લા એક વર્ષ ઉપરાંત સમયથી કોરોના મહામારીના કારણે ગત વર્ષે મેળો મોકૂફ રખાયો હતો. જેમાં ચાલુ સમયમાં વધતા કોરોના મહામારીના કેસોને લઈ આગામી 11 અને 12 એપ્રિલે યોજાનાર લોકમેળો આ વર્ષે પણ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેની સમગ્ર ધર્મપ્રેમી જનતાએ નોંધ લેવી તેવું સમસ્ત અધાર ગ્રામજાણોએ બેનરો ગામમાં લગાવ્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.