તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પટોળા અને મશરૂ હસ્તકલાથી જાણિતા પાટણ શહેરના લુપ્ત થતી પેપર કાર્વિંગ આર્ટના કલાકાર કીર્તિભાઈ ખત્રીએ સાંગાનેરી હેન્ડમેડ પેપર ઉપર 2 મહિનાની મહેનતથી બનાવેલી રાષ્ટ્રધ્વજના અશોકચક્રની 39 ઇંચની કૃતિએ ઈયર ઓફ ધ આર્ટિસ્ટ તરીકેનું ગૌરવ અપાવ્યું છે. જેથી તેમને રૂ. એક લાખનો રોકડ પુરસ્કાર પણ મળ્યો છે. તેઓ 2 હજારથી વધુ પ્રતિકૃતિ બનાવી લિમ્કા બુકમાં સ્થાન પામી ચૂક્યા છે.
ટાંકવાડાના કિર્તિભાઈ ખત્રીએ 1960માં અભ્યાસ સમયે અખાડામાં રામપ્રસાદ જડિયા પાસે પેપર કાર્વિંગ આર્ટની તાલીમ લઈ 1964થી પેપર પર નરેણી અને ચીપિયાથી કોતરણી કરી ઐતિહાસિક સ્થળો, જૈન અને હિન્દુ ભગવાનોની પ્રતિકૃતિ બનાવે છે. 2017-18માં યોજાયેલા ઈયર ઓફ ધ આર્ટિસ્ટમાં પ્રસ્તુત 200 જેટલી હસ્તકલાઓમાં બનેેલી અશોકચક્રની કૃતિને સરકારે પ્રથમ નંબર આપી ઈયર ઓફ ધ આર્ટિસ્ટનો એવોર્ડ આપ્યો હતો.
39 ઇંચના અશોકચક્રની ખાસિયત
અશોકચક્રમાં આવતા 24 હાથી, મોર, સિંહ અને વાળા સહિતની ડિઝાઇન કીર્તિભાઇ ખત્રીએ કાગળ પર આબેહૂબ કંડારી છે. જે કલાનો બેનમૂન નમૂનો છે.
આ એવોર્ડ મળ્યા છે
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.