તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વારાહી ખાતે આવેલી ભીડભંજન હનુમાનજી ગૌશાળામાં 4000 જેટલી ગાયો ની સેવા ચાકરી કરવામાં આવે છે આ સેવાકાર્ય ઉપરાંત મંગળવારે વારાહી ગૌશાળા દ્વારા એક સાધુ પરિવારની દીકરી ના લગ્ન કરી અનોખુ જનસેવા દ્રષ્ટાંત પુરૂ પાડ્યું છે. સમી તાલુકાના કનીજ ગામના હાલ ગોચનાદ રહેતા સાધુ ભરતકુમાર ફરશુરામ ની દીકરી દેવિકાના લગ્ન વારાહી ગૌશાળા ખાતે યોજાયા હતા.
દીકરીના પિતા મજૂરી કામ પરિવારનું ગુજરાન ચલાવતા હતા પણ દીકરી મોટી થઈ જતા લગ્નની જવાબદારી પિતા ને સતાવતી હતી ત્યારે વારાહી ગૌશાળા ના મિત્ર મંડળ દ્વારા આ દીકરીનું કન્યાદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જ્યારે મહા સુદ પાંચમ મંગળવારના રોજ દીકરીના લગ્ન વારાહી ગૌશાળા ખાતે યોજાયા હતા વારાહી ગૌશાળા મિત્ર મંડળ દ્વારા કન્યા દેવિકાબેનને કરિયાવર પેટે સોનાના મંગલસૂત્ર થી લઈ 49 વસ્તુઓ આપી ને કન્યાદાન કરવામાં આવ્યું હતુ.
આ દિકરીની જાન સમી તાલુકાના સેગોતરીયા ગામેથી આવી હતી આ જાનઆવતાની સાથે યુવક મંડળ દ્વારા ચા નાસ્તો આપવામાં આવ્યો હતો ભોજન આપવામાં આવ્યો હતો વારાહી ગૌશાળા દ્વારા જાનેયાઓનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં વારાહી તેમજ આજુબાજુના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.