તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સિદ્ધપુરમાં તર્પણ વિધિ માટે લંબાવેલ જાહેરનામું રદ કરવામાં આવે અથવા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે ભૂદેવોએ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સિદ્ધપુરમાં માત્ર ચૈત્ર અને કારતક માસ પૂરતી જ તર્પણ વિધિ થતી હોય છે. જ્યારે તંત્ર દ્વારા કોરોનાને લઇ માધુપાવડીયા તર્પણ વિધિ પર જામતી ભીડને લઇ સંક્ર્મણ વધતા કલેકટર દ્વારા પ્રથમ 2 ડિસેમ્બર અને ત્યારબાદ 14 ડિસેમ્બર સુધી તર્પણ વિધિ પર પ્રતિબંધ લંબાવી દેવામાં આવતા તર્પણ વિધિ માટે આવતા યજમાનો બંધ થતા ભૂદેવ પરિવારોની આવક બંધ થઇ જવા પામી છે. જે જાહેરનામું રદ કરી અથવા ગાઈડ લાઈનના નિયમો સાથે વૈકલ્પિક વ્યવસ્થા કરી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર અપાયું હતું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.