પાટણના નોરતા ગામનાં સંત નરભેરામ આશ્રમ ખાતેના સંત દોલતરામ બાપુને કોરોના મહામારીમાં કરાયેલી નિસ્વાર્થ લોક સેવાઓની સાથે સાથે દરેક સમાજમાં વ્યસનમુક્તિ જેવા સેવાકીય કાર્યોને લઇ લંડનની સંસ્થા દ્વારા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનું પ્રમાણપત્ર આપી તેઓનું સન્માન કરવામા આવ્યું હતું, જે બાબતને લઈને શુક્રવારના મોડી સાંજે પાટણના પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોરની આગેવાની હેઠળ ઉત્તર ગુજરાતના કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો અને આગેવાનોએ આશ્રમની મુલાકાત લીધી હતી અને રૂપિયા 11 લાખનું દાન કરવાની ઘોષણા કરી હતી.
સંતદોલતરામ બાપુનાં આશિર્વાદ મેળવવા કોંગ્રેસનાં તમામ ધારાસભ્યો, પ્રદેશ કોંગ્રેસનાં આગેવાનો સહિત કાયૅકરોએ નોરતા નરભેરામ આશ્રમ ખાતે પધારી સંત દોલતરામ બાપુનાં આશિર્વાદ મેળવી તેઓની સેવાકીય પ્રવૃત્તિ અવિરત પણે કાર્યરત રહે તેવી ઉમદા ભાવના સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો,ઉતર ગુજરાત નાં ધારાસભ્યો સહિતના કોંગ્રેસી ઓના સહકારથી રૂ:-11 લાખ 11 અગિયાર હજાર એક સો અગિયારનું દાન બાપુને અપૅણ કરવાની ઘોષણા કરવામાં આવતાં ઉપસ્થિત સૌ કોઈએ આ ધોષણાને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.