ચાણસ્મા તાલુકાના દાંત કરોડી ગામે રામદેવપીર મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા આગામી ચોથી અને પાંચમી મેના રોજ રજત જયંતિ ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવતા તેની સાથે દિવંગત ડોક્ટર તુષાર પટેલ સ્મૃતિવન ખાતે સ્વર્ગસ્થ ડોક્ટર તુષાર પટેલની પ્રતિમાના અનાવરણ વિધિ સાથે શેઠ મોતીભાઈ ભોજનાલય ઉદ્ઘાટન ગામના ગૌરવંતા સૈનિકોનું શર્મા સહિત ચતુર્વિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
કાર્યક્રમની માહિતી આપતા યુવા અગ્રણી રાકેશ પટેલે જણાવ્યું હતું કે. 4થી મેના રોજ દાંત કરોડી ગાના પનોતા પુત્ર ડોક્ટર તુષાર પટેલની પ્રતિમાનું અનાવરણ તેમજ ગામના લશ્કરમાં સેવા બજાવતા સૈનિકોનું સન્માન અને વિક્રમ લાબડીયા ગ્રુપનો લોકડાયરો સહિતનું આયોજન કરાયું છેય જ્યારે બીજા દિવસે એટલે કે પાંચમી મેંના રોજ શેઠ મોતીભા ભોજનાલય લોકાર્પણ અને વિષ્ણુયાગ યજ્ઞની પુર્ણાહુતી જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પૂર્વ કેબિનેટ મંત્રી નરોત્તમભાઇ પટેલ પ્રદેશ ભાજપના અગ્રણી કે.સી.પટેલ ધારાસભ્ય સુરેશ પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજ સભાના સાંસદ જુગલજી ઠાકોર દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વાઇસ ચેરમેન અમરતભાઈ દેસાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.