સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા સિદ્ધપુર માધુપાવડી પાસે પ્રસાર થતી સરસ્વતી નદીમાં બનાવેલા ચેકડેમમાં પાણી નાખી ભરવા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખ્યો છે.
જલ્દી ચેકડેમમાં પાણી નાખવા માંગ
સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા કરવામાં આવેલી રાજૂઆત મા જણાવ્યું હતું કે, અમારા મત વિસ્તાર સિદ્ધપુર શહેરમાં માધુપાવડી પાસે સરસ્વતી નદી પ્રસાર થાય છે. આ નદી ઉપર એક મોટો ચેકડેમ બનાવવામાં આવ્યો છે અને ચાલુ સાલે ઉત્તર ગુજરાતમાં મધ્યમસરનો વરસાદ થવાથી સિદ્ધપુર નદીમાં પાણી આવેલુ નથી અને સિદ્ધપુર શહેરમાં પાંચ મહાદેવ આવેલા છે. હાલમાં શ્રાવણ માસ ચાલુ થયેલો છે. ભક્તો મહાદેવના દર્શન અર્થે આવે છે અને નદીમાં પાણી ન હોવાથી નિશાશા નાખે છે. તો તાત્કાલીક સરસ્વતી નદીમાં બનાવેલા ચેકડેમમાં પાણી નાખવામાં આવે તો દર્શન અર્થે આવતાં ભક્તોને ખુબજ ઉપયોગ થાય તેમ છે અને શ્રાવણ માસ હોવાથી પાણી ભરવું ખુબજ જરૂરી છે. આથી ચેકડેમ તાત્કાલીક ભરવા આવે તે માટે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.